મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા કાનજી રાઠોડ નામના યુવક સામે વાંકાનેરની સગીરાને ભગાડી જઈ તેના પર દુષ્કર્મ આચરવામાં આવી હોવાની ફરિયાદ નોધાઇ હતી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી જેથી યુવકનો પરિવાર ઘર બંધ કરી વાંકાનેર પોલીસ મથકે ગયો હતો જોકે આ ગુનાથી નારાજ સગીરા પરીવાર કેટલાક લોકો મોરબી આરોપીના ઘરે પહોચ્યા હતા અને તેનું ઘર સળગાવી દઈ અંદાજીત ૬૦ હજારથી વધુની માલમત્તા ને નુકશાન પહોચાડ્યું હતું બનાવ અંગે ઘરના માલિક રાજેશ ડાયાલાલ ચાવડાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે પોલીસે આ બનાવમાં બે આરોપીઓ સામે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

