મોરબી શહેરના સામા કાંઠા વીસ્તારમ આવેલા ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા અને મોબાઈલ શોપ ચલાવતા સુખદેવભાઇ કરશનભાઇ સુરેલા ગત તા 28 ના રોજ તેના પરિવાર સાથે ખાખરેચી ગામમાં માતાજીના માંડવામાં ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરના દરવાજા તોડી પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રાખેલા મુદામાલ સાફ કરી ફરાર થઇ ગયા હતા બીજા દિવસે સવારે પરિવાર ઘરે પરત ફર્યો ત્યારે ઘરના દરવાજો ખુલ્લો હતો અને સામાન વેર વિખેર પડ્યો હોવાથી તિજોરી ની તપાસ કરતા તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા ૨૦ હજાર સહીત રૂ 1.22 લાખનો મુદામાલ સાફ કરી ફરાર થઇ ગયા હતા બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકમાં ચોરી અંગે ફરિયાદ નોધવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

