મોરબી શહેરના લાયન્સનગર વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવિંગનો ધંધો કરતા શંકરભાઇ ઉર્ફે રાજુભાઇ જેઠાભાઇ પરમાર નામના પ્રોઢ એકલા રહેતા હોય અને આ એકલતાથી કંટાળી પોતાના ઘરમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા આસપાસના લોકોએ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.આ અંગે વધુ તપાસ પી એસ આઈ સોનારા ચલાવી રહ્યા છે પ્રાથમિક તપાસ મુજબ મૃતક અપરણિત હોય અને લગ્ન માટે પાત્ર ન મળતા નાસીપાસ થઇ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે

