રાજકોટના દામજી મેપા પ્લોટ વિસ્તારમાં રહેતા મંજુબેન જીવણ ભાઈ ટોલિયાના માવતર ભલાભાઈ સરસીયાની વાંકાનેર તાલુકાના પાજ ગામના વાડી વિસ્તારમાં જમીન આવેલી હોય અને આ જમીન પર પર પાજ ગામના યુનુસભાઇ મામદભાઇ સીપાઇ નામના શખ્સ દ્વારા ગેર કાયદે ક્બ્જો કર્યો જે બાદ મંજુબેન દ્વારા જગ્યા ખાલી કરવાનું કહેતા યુનુશભાઈ અવાર નવાર બહાના કરતા હોય અને તે બાબતે સમાધાન કરવાની પ્રકિયા ચાલતી હતી જોકે આ અંગે સમાધાન ન થતા મંજુબેને આરોપી યુનુસ મામદભાઈ સિપાઈ સામે લેન્ડ ગ્રેબિંગ અંગે કલેકટર કચેરીમાં અરજી કરી હતી જે બાદ કલેકટરના આદેશથી વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદે સર કાર્યવાહી હાથ ધરી હતી

