સમૃદ્ધ ભારતના સમૃદ્ધ વારસા સામાન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વિશે લોકો જાગૃત થાય અને ઔષધીય વનસ્પતિ અને તેના ગુણ વિશે લોકો જાગૃત થાય તે માટે સરકાર દ્વારા અલગ અલગ [પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા પંચાયત દ્વારાના આયુર્વેદિક વિભાગ દ્વારા એક નવતર પ્રયોગના ભાગરૂપે જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં 20 જેટલા અલગ અલગ દુર્લભ કહી શકાય તેવા આયુવેર્દિક ઔષધીય વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું આ તકે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી,ઉપ પ્રમુખ હીરાભાઈ ટમાંરીયા, જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજય ડી જાડેજા ડે ડીડીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પી.વી અંબારિયા સહિતના અધિકારી અને કર્મચારી જોડાયા હતા

