મોરબીના કાલીકા પ્લોટ શેરી નં.૪ સતવારા બોર્ડીંગ પાછળ વિસ્તારમાં રહેતા લાલજીભાઈ નોંઘાભાઈ સોલંકી નામના યુવકના માતા સામુંબેન ગત તા ૨૫ના રોજ રજકો વેચવા નીકળ્યા હતા. દરમિયાન રવાપર રોડ પર આવેલા નરસંગ મંદિર પાસેGJ-36-AC-7948 ની કાર પુર ઝડપે આવી હતી અને સામુબેનને કાર વડે ઠોકર મારી અકસ્માત સર્જતા તેમને ગંભીર ઈજા પહોચી હતી જેથી સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું બનાવ અંગે મૃતકના પુત્ર લાલજીભાઈએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

