મોરબીના ભડિયાદ નજીક આવેલા એક કારખાનામાં રહેતા એક શ્રમિક પરિવારની 14 વર્ષની દીકરી તેમજ 8 વર્ષની દીકરીનું સગીર વય ની દીકરીનું વિધર્મી શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો, બનાવ અંગે હિન્દુ સંગઠનોને જાણ થતા તેઓ દ્વારા સગીરાને છોડાવવા પ્રયાસ કર્યા હતા બીજી તરફ પોલીસે પણ ઘટનાની ગંભીરતા ને ધ્યાને લઇ તાત્કાલિક ગુન્હો નોધી આરોપીની અટકાયત કરી હતી તેના વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ તેમજ આઈપીસીની કલમ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરીહતી તેમજ બન્ને સગીરાઓને પણ પોલીસે આરોપીઓના ચુંગલ માંથી છોડાવી હતી. આ ઘટનામાં 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થયા હોવાની પણ આશંકા હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે હજુ સુધી અંગે કોઈ સતાવાર માહિતી સામે આવી નથી

