ટંકારા તાલુકાના લજાઈ ગમે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર નજીક આવેલ વિજયભાઈ પટેલ અને મનસુખભાઈ કાસુન્દ્રાના ભેસના તબેલામાં રાખવામાં આવેલ 52 જેટલી ભેસે કુમળી જુવાર ખાઈ લેતા આ તમામ ભેસને ઝેરી અસર થઇ ગઈ હતી કે બાદ પશુ માલિકોએ પશુપાલન વિભાગને જાણ કરતા મોરબી પશુપાલન શાખાના ડોક્ટર ડો વિજય ભોરણીયા અને ડો વિમલ વસિયાણી તેમજ મોબાઈલ વેટરનરી 1962ની ટીમ તુરત સ્થળ પર પહોચી ગઈ હતી અને તમામ બીમાર ભેસોની સારવાર કરી તેમનો જીવ બચાવ્યા હતા પશુપાલન વિભાગની સતર્કતાથી 52 ભેસના જીવ બચી જતા પશુપાલકોને મોટું નુકશાન થતા બચી ગયું હતું

