વાકાનેર શહેરના લુણસરિયાથી વીસીપારા વિસ્તારમાંથી ગત તા 10બ રોજ એક અજાણ્યા પુરષની લાશ મળી આવી હતી લાશ કોહવાયેલી હાલતમાં હોવાથી પીએમ થઇ શકે તેમ ન હોવાથી રાજકોટખાતે ફોરેન્સિક પીએમ માં મોકલવામાં આવી હતી ફોરેન્સિક પીએમમાં મૃતકની બોથડપદાર્થના ઘા ઝીકી હત્યા થઇ હોવાનું ખુલ્યું હતું જે બાદ પોલીસે મૃતકની ઓળખ મેળવા તજવીજ હાથ ધરતા મૃતકનું નામ કાર્તિકસીંગ રૂહ્યાસીંગ હોવાનું અને મૂળ ઓરિસ્સાના બોલેશ્વર જિલ્લાના ચિત્રકૂટ તાલકામાં આવેલ અજોધીયાના વતની હોવાનું સામે આવ્યું હતું. વાંકાનેર સીટી પોલીસે ફોરેન્સિક રીપોર્ટ આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

