HomeGujaratમોરબીના અવની ચોકડીમાં વરસાદી પાણી નિકાલની કામગીરી મુદે સ્થાનિકોએ પાલિકા કચેરીનો કર્યો...

મોરબીના અવની ચોકડીમાં વરસાદી પાણી નિકાલની કામગીરી મુદે સ્થાનિકોએ પાલિકા કચેરીનો કર્યો ઘેરાવ

મોરબી શહેરના વોર્ડ 10માં આવતા અવની ચોકડી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 4 વર્ષથી ચોમાસામાં દરમિયાન ઉપરના વિસ્તારમાં આવેલ ખેતરમાંથી મોટા પાયે પાણી આવી જાય છે પાણીનો પ્રવાહ એટલો બધો હોય છે કે રસ્તા પર ચાલવું કે વાહન લઇને નીકળવું મુશ્કેલ થઈ જાય છે ગયા ચોમાસા દરમ્યાન આવી સ્થિતિ સર્જાઈ હતી અને તેઓએ પાલિકા ચીફ ઓફિસર પ્રમુખ તેમજ જિલ્લા કલકટરને લેખિત રજૂઆત કરી હતી સાથે સાથે જ્યાં સુધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી રોડનું કામ પણ અટકાવી રાખ્યુ હતું.
અગાઉ રજુઆત બાદ પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નવા પાઇપ ફીટ કરવાની અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી.
આ કામગીરી મંજૂર થઈ ગઈ છે અને આ માટે ચીફ ઓફિસર દ્વારા સહિ પણ કરી દેવામાં એવી છે જોકે પાલિકા પ્રમુખની સહિ બાકી હોવાથી કામગીરી આગળ વધતિ ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. સ્થાનિકો પાલિકા કચેરી પહોંચ્યા બાદ પ્રમુખ ઉપપ્રમુખ કે ઈનચાર્જ ચીફ ઓફિસર હાજર ન મળી આવતા સૂત્રોચ્ચાર કર્યો હતો અને હેડ કલાર્કને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી. જો આગામી 7 દિવસોમાં તેની માગણી મુદ્દે યોગ્ય કાર્યવાહી નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને જરૂર પડ્યે ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW