મોરબી જિલ્લામાં પોલીસ ભલે સબ સલામતના દાવા કરતી હોય પરંતુ હકીકતમાં ચોરી લુંટ અપહરણ અને હત્યાના બનાવ સતત વધી રહ્યાં છે તે હકીકત છે.મોરબીમાં શહેર હોય કે ગામમાં ઠેર ઠેર ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે ત્યારે વધુ એક બનાવ રવાપર ગામમાં નોંધાયો હતો જેમાં મોરબીના રવાપર ગામમાં આવેલ ભૂમિ પેલેસમાં રહેતા કૈલાશભાઈ પ્રાગજીભાઈ જિવાની નાં બંધ ફ્લેટમાં તસ્કરો આવી પહોંચ્યા હતા અને ફ્લેટનો પાછડ નાં દરવાજેથી અંદર ઘૂસી અને બાથરૂમ બારી તોડી અંદરના રૂમ સુધી ઘુસી ગયો હતો અને તિજોરીમાં રાખેલ રોકડ 10 હજાર તેમજ 1.60 લાખના સોનાના દાગીના સહિત 1.70લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે કૈલાશભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

