ઉતરાયણ પર્વ નિમિતે ધાર્મિક માન્યતા મુજબ દાનનું ખુબ મહત્વ રહેલ છે ખાસ કરીને ગૌ દાનનું એનેરું મહત્વ છે અને લોકો મકરસંક્રાંતિના દિવસે ગાયને લીલો ચારો ખવડાવી પુણ્યનું ભાથું બાંધતા હોય છે તો કેટલાક દાનવીર બીમાર કે અશક્ત ગાયો માટે ચાલતી ગૌ શાળામાં દાન આપી ગૌ સેવા કરતા હોય છે ત્યારે મોરબીમાં પણ મોરબી ઓટોમોબાઇલ એસોશિએશન દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિતે વેપારીઓ સાથે મળી રૂપિયા 51 હજાર એકત્રિત કર્યા હતા અને અલગ અલગ વિસ્તારમાં ચાલતી જુદી-જુદી પાંચ ગૌશાળને અનુદાન આપ્યું હતું તેમ એસોશિએશન પ્રમુખ ત્રિભોવનભાઇ લિખિયાએ જણાવ્યું હતું.

