મોરબી શહેરની અતિ દર્દનાક ઝુલતા પુલ તૂટવાની ઘટનામાં નાના બાળકોથી લઇ યુવાનો મળી 134 લોકોના મોત થયા હતા આ મૃત્યુ પામેલ પરિવાર હજુ પણ આઘાતમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પરંતુ હજુ સુધી તેઓ પોતાના સ્વજનને ભૂલી શક્યા નથી. આ દુર્ઘટનામાં મોરબીના પ્રધાનમંત્રી આવાસમાં રહેતા જોગિયાણી પરિવારના બે કુમળા ફૂલ જેવા બાળક માહી દર્શનભાઈ જોગીયાની ( ઉ.વ.7) ભાવેશ દર્શનભાઈ જોગીયાની (ઉ.વ.4)નું પણ મોત થયું હતું મૃતક માહીનો આજે જન્મ દિવસ હતો પરિવારજનોએ મૃતક બાળકીના માતા પિતા અને તે વિસ્તારના લોકોએ દ્વારા જન્મ દિવસે શ્રદ્ધાંજલી સભા યોજી બન્ને મૃતકની આત્મા શાંતિ માટે પ્રાર્થના કરી હતી

