માળીયાના જુના ઘાંટીલા યુવા ગ્રુપ દ્વારા આગામી તારીખ ૨૬ ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રે 9 કલાકે ઐતિહાસિક નાટક અને કોમિક રજૂ કરવામાં આવશે.જુના ઘાંટીલા ગામે યુવા ગ્રુપ દ્વારા આથમણા ઝાપે ગામની પવિત્ર રંગભૂમિ પર ફરી એકવાર મહાન ઐતિહાસિક નાટક રાજા ભરથરી અને સાથે જ હાસ્યના ફુવારા છુટે તેવું કોમિક દિ ઉઠાડિયો દામલે રજુ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે જુના ઘાંટીલા યુવા ગ્રુપ અને ઘાંટીલા ગામ સમસ્ત દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
સંસ્કૃતીના જતન માટે હંમેશા ખડેપગે રહેતું જુના ઘાંટીલા ગામ યુવા ગ્રુપ પ્રેક્ષક આવકારવા સદૈવ ઉત્સુક હોય છે. અને ગ્રામજનો દ્વારા લોકોને નાટકનો !લાભ લેવા ગામ લૉકોએ જણાવવા આવ્યુ છે.

