મોરબી શહેરના હેરીટેજ સમાં ઝુલતા પુલનું છેલ્લા 6 માસથી રીપેરીંગ કામ ચાલી રહ્યું છે ત્યારે આ રીપેરીગ કામ દરમિયાન કોઈ અચાનક અકસ્માત સર્જાયો હતો જેમાં બ્રીજનું કામ કરતા પ્રકાશભાઈ માલાભાઈ વાઢેર નામનો 22 વર્ષના કારીગરને પોતાના સ્થળ પર આકસ્મિક રીતે ઈલેકટ્રીક શોક લાગ્યો હતો જે બાદ તેણે તાત્કાલિક અસરથી ખાનગી હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે એ ડીવીઝન પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી કાયદેસર કાર્યવહી હાથ ધરી હતી.

