મોરબી સહીત રાજ્યભરમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે નાના બાળકોથી યુવાનો તેમજ અબાલ વૃદ્ધ ગરબા ઘૂમી રહ્યા છે ત્યારે હવે જાણે જીએસટી વિભાગે જાણે ગરબા આયોજકોને ઘુમાવવાનું નક્કી કર્યું હોય તેમ હજુ 4 નોરતા પુરા થયા ત્યાં મોરબીમાં પાસ આધારિત અલગ અલગ ગરબા આયોજકોને નોટીસ મોકલી તેઓ કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે પાસ આધારિત ગરબાને જીએસટીમાં લીધા છે તે મુજબના ક્રાઈટ એરિયામાં આવે છે કે કેમ તે અંગે તપાસ અર્થે બોલાવ્યા છે સાથે સાથે તેઓએ ગરબા આયોજકોને પાસ કેટલા રકમમાં વેચે છે તે અંગેની નિભાવેલ રજીસ્ટર અથવા અન્ય હિસાબ અંગેની માહિતી રજુ કરવા સુચના આપી છે આગામી દિવસોમાં તમામ પાસ આધારિત ગરબા આયોજકોને આ અંગે માહિતી જમા કરાવવા સુચના મોરબી જીએસટી વિભાગના સહાયક કમિશ્નર દ્વારા આપવામાં આવી છે.

