કોરોનાકાળ બાદ સૌરાષ્ટ્ર યુનિ.ના ૫૦મા અમૃત યુવક મહોત્સવનો આજથી પ્રારંભ થતાં જુદી-જુદી કોલેજનાં યુવા કલાકારો વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉમટયા હતા.
કેમ્પસમાં નવનિર્મિત ઓપન થીએટર ઉપર આયોજીત પ્રાચીન રાસની સ્પર્ધામાં યુવા કલાકારોએ ભારે જમાવટ કરી હતી. ત્રણ દિવ્સના યુવક મહોત્સવના ઉદ્ઘાટન સત્રમાં આજે રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીનાં હસ્તે નવનિર્મિત ભોવનોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા.સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં આયોજીત યુવક મહોત્સવને ખુલ્લો મુકી રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગીક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે યુનિ.ના ભવનો એ માત્ર મકાનો નથી, યુવાનોના સ્વપ્નાઓના આશ્રય સ્થાન છે. રાજ્યભરમાં 15,000 પ્રાઈવેટ સ્કુલ અને સરકારી-ગ્રાન્ટેડ શાળાઓમાં 40,000 વિદ્યાર્થીઓમાંથી તૈયાર થતા કાર્યક્રમ થયો

