મોરબી શહેરના રેલ્વે સ્ટેશનમાં ફરજ બજાવતા બીપીનભાઈ કનુભાઈ દેથૈયાએ રેલ્વે સ્ટેશન ઓફીસમાં જ કોઈ કારણસર અચાનક દાઝી ગયા હતા જે બાદ તેમની ઓફિસમાં કામ કરતા અન્ય કર્મચારીઓને જાણ થતા તુરત તેઓએ આગ બુઝાવી હતી અને તાત્કાલીક મોરબી સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. મોરબી શહેરના શાંતસ્થળ એવા રેલ્વે સ્ટેશનમાં આ પ્રકારની ઘટના બનતા રેલ્વે સ્ટેશનમાં હાજર લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી

