મોરબી : આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 72 મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે અને મોરબીમાં પણ મોદીના જન્મદિવસની ઉજવણી કરવા માટે અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે આજે શનિવારે સાંજે 4 થી 7 વાગ્યા સુધી મોરબી તાલુકાના ઘૂંટુ ગામે જનકપુર માં નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કિરણ જનરેટરવાળા રણછોડભાઈ મગનભાઈ સંઘાણી દ્વારા ધુનનું આયોજન કરવામાં આવ્યું છે જેથી ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આયોજક દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

