માળિયાના મોટા ભેલા ગામમાં આવેલ શ્મશાનમાં એક શખ્સે મહાદેવની મૂર્તિ ખંડિત કરી હતી આ અંગે માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી આ ઘટનામાં આરોપીની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
માળિયા તાલુકાના મોટાભેલા ગામમાં સ્મશાનના બે દિવસ પહેલા કોઈ શખ્સ ભગવાન શિવજીની મૂર્તિ ખંડિત કરી નાખી હતી આ ઘટનામાં ગામમાં રહેતા હસમુખભાઈ રવજીભાઈ શેરશીયાએ માળિયા પોલીસ મથકમાં મોટાભેલા ગામના જ ભરતભાઈ જીવણભાઈ સોમાણી વિરુદ્ધ શિવજીની મૂર્તિ તોડી ધાર્મિક લાગણી દુભાવવા અંગે ફરિયાદ નોધાવી હતી ફરિયાદ બાદ પોલીસે ભરતભાઈની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી

