વરસાદના વિરામની સાથે સાથે હવે તહેવારની મૌસમ શરુ થઇ જતા સફાઈઝુંબેશ હાથ ધરવામાં આવી છે ગણેશ ચતુર્થી પર્વ દરમિયાન શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ન છવાય અને લોકો બીમારીનો ભોગ ન બને તે માટે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની સૂચનાથી સેનિટેશન ઇન્સ્પેક્ટર હિતેશભાઇ રવેશિયાની હાજરીમાં પાલિકાના સફાઈ કર્મવીરોએ શહેરના મુખ્ય માર્ગો એવા નગરદરવાજાથી દરબારગઢ સુધી રસ્તાની સફાઈ અને ડીડીટીનો છટકાવ કરાવ્યો હતો આ તકે મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ,બાંધકામ ચેરમેન દેવાભાઈ અવાડીયા, સેનીટેશન ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજા,ચેરમેન ભાવિકભાઈ જારિયા,હેલ્થ એન્ડ હાઈજીન ચેરમેન આશિફભાઈ ઘાચી દ્વારા કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

