રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગત તારીખ 8 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે અતિ ભારે વરસાદના થયો હતો. જેના કારણે જામકંડોરણા-અરણી-ભાયાવદર રોડ પર ભાંખ ગામના પાટીયા પાસે પુલમાં સ્લેબડ્રેઇનને નુકસાન થયું છે. આ પુલમાં ભંગાણ પડ્યું હતું. જેની માઠી અસર વાહન વ્યવહારને થઈ છે.
કોઈ અકસ્માત કે જાનહાનિ ન થાય તે હેતુસર માર્ગ અને મકાન વિભાગ મારફત વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ રસ્તાની તાત્કાલિક ધોરણે મરામત કરી હંગામી રસ્તો ચાલુ કરવા જરૂરી પગલાં ભરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે આ પુલ ઉપર નવું નાળું બનાવવાં માટે મંજુરી આપી દીધી છે.પણ વરસાદને કારણે કોઈ કામગીરી થઈ નથી. તેથી લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વરસાદી માહોલમાં થોડો વિરામ લેવામાં આવ્યો છે. હવે પુલ મરામતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેમ માર્ગ અને મકાન વિભાગની યાદીમાં જણાવાયું છે.

