HomeGujaratCentral Gujaratગંદા પાણીથી ઉભરાતી ખારીકટ કેનાલ પૂર્વ અમદાવાદ માટે માથાનો કાયમી દુખાવો

ગંદા પાણીથી ઉભરાતી ખારીકટ કેનાલ પૂર્વ અમદાવાદ માટે માથાનો કાયમી દુખાવો

પૂર્વ અમદાવાદમાં ચોમાસામાં ખારિકટ કેનાલ રોગચાળાનું મૂળ બની ગઇ છે. મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આજુબાજુના મકાનોમાં સાંજ પડતા જ મોટા મચ્છરો ઘરમાં ઘુસી જાય છે. જે સૌથી મોટી સમસ્યા છે. ધુપ,ધુમાડા પણ હવે મચ્છરોની સામે બિનઅસરકારક પુરવાર થઇ રહ્યા છે. આ સ્થિતિમાં લોકો ડેન્ગ્યું, મલેરિયા સહિતના રોગનો ભોગ બન્યા છે.

ગંધથી મુશ્કેલી: કેનાલમાંથી ભારે દુર્ગંધ મારે છે, અધુરામા પુરૂ કેનાલના પટ્ટામાં રહેતા લોકો પણ બિનજવાબદારી પૂર્વક ઘરનો કચરો, એંઠવાડ સીધો જ કેનાલમાં પધરાવી રહ્યા છે. આજ ગંદકી તેઓનો હાલ નડી રહી છે. કેનાલને સાફ રાખવાના તંત્રના તમામ પ્રયાસો અત્યાર સુધીમાં નિષ્ફળ રહ્યા છે.

કેમિકલયુક્ત પાણી: ખારીકટ કેનાલમાં સીટીએમ, ઓઢવ, વિરાટનગર, નરોડા, નિકોલ, રામોલ, વટવા સહિતના પટ્ટામાં હાલ કાળું ડામર જેવું પાણી કેનાલમાં વહી રહ્યું છે. સ્થાનિકો જણાવી રહ્યા છેકે આ પાણી કેમિકલવાળા એકમોનું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW