રાજસ્થાનના સીકર જિલ્લાના ખાટુશ્યામજીમાં સોમવારે સવારે નાસભાગમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 4.00 વાગ્યે મંદિરના દરવાજા બંધ હતા ત્યારે નાસભાગ મચી હતી. આ દરમિયાન ભીડ વચ્ચે થયેલી મારામારી વચ્ચે 3 મહિલાઓના મોત થયા હતા.
સારવાર ચાલું: તે જ સમયે અન્ય ત્રણ ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. મૃતક મહિલા પૈકી એક હિસારની હતી, જ્યારે અન્ય બેની ઓળખ થઈ શકી નથી આ મામલામાં ઘાયલ 2 લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે. જ્યારે એકની સારવાર ખાટુશ્યામજી સીએચસીમાં ચાલી રહી છે.
Rajasthan | Three people died, several injured at Khatu Shyamji Temple in Sikar where a stampede occurred during a monthly fair, earlier this morning. Two injured people referred to a hospital in Jaipur. Police present at the spot. Further details awaited. pic.twitter.com/bgnL9sRr1j
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 8, 2022
મેળો ભરાયો હતો: ખાટુશ્યામજીમાં પુત્રા એકાદશીનો માસિક મેળો ભરાયો હતો, જેમાં દર્શન માટે મોડી રાતથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટવા લાગ્યા હતા. આ દરમિયાન સવારની આરતી માટે જ્યારે દરવાજા બંધ કરવામાં આવ્યા ત્યારે દર્શનાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ભીડને કારણે 3 મહિલાઓના મોત થયા હતા. આ ઘટનામાં અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

