HomeNationalમોંઘવારી સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાષ્ટ્રપતિ ભવન ઘેરવા આગેકૂચ

મોંઘવારી સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રાષ્ટ્રપતિ ભવન ઘેરવા આગેકૂચ

મોંઘવારી, બેરોજગારી અને ખાદ્ય ચીજવસ્તુઓ પર જીએસટી લાદવાના વિરોધમાં કોંગ્રેસ શુક્રવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થયું છે. પાર્ટીના સાંસદો સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવા માટે નીકળ્યા હતા.પણ પોલીસે એમનો રસ્તો રોકી લીધો હતો. કોઈને પણ આગળ જવા ના દેતા ઘર્ષણ જોવા મળ્યું છે.

મોટી જાહેરાત: કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત પણ કરી છે કે તેઓ વડાપ્રધાનના આવાસનો ઘેરાવ પણ કરશે, પરંતુ પોલીસ તેમને પીએમ આવાસ તરફ જવા દેતી નથી. દરમિયાન દિલ્હી પોલીસે કેસી વેણુગોપાલને પત્ર લખીને માહિતી આપી છે કે જંતર-મંતર સિવાય સમગ્ર નવી દિલ્હી વિસ્તારમાં 144 કલમ લાગુ છે. તેથી કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનની પરવાનગી આપી શકાય નહીં. રાજ્યસભાની કાર્યવાહી 11.30 વાગ્યા સુધી સ્થગિતવિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભા 11.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ વિપક્ષના સાંસદોને કહ્યું કે તમે તમારો વિરોધ કરો અને તમારે જે કરવું હોય તે બહાર કાઢો.બીજી તરફ લોકસભામાં કોંગ્રેસના મોટાભાગના સાંસદો કાળા કપડા પહેરીને વેલમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

રાહુલ ગાંધી એ કહ્યું: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મોંઘવારી અને બેરોજગારી પર દેશવ્યાપી હંગામો શરૂ કરતા પહેલા કહ્યું હતું કે, વર્તમાન યુગમાં આપણે લોકશાહીના મૃત્યુના સાક્ષી છીએ. તેમણે કહ્યું કે ભારતે લગભગ એક સદી પહેલા ઈંટો અને પથ્થરોથી જે કંઈ પણ બનાવ્યું હતું તે તમારી નજર સામે નષ્ટ થઈ રહ્યું છે. “જે કોઈ સરમુખત્યારશાહીના વિચારની વિરુદ્ધ ઉભો થાય છે તેના પર દુષ્ટ હુમલો કરવામાં આવે છે, કેદ કરવામાં આવે છે, ધરપકડ કરવામાં આવે છે અને માર મારવામાં આવે છે,”

દિલ્હી પોલીસે એક એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે મોંઘવારી, બેરોજગારી અને GST વધારા સામે કોંગ્રેસના મોટા વિરોધને ધ્યાનમાં રાખીને શુક્રવારે લ્યુટિયન્સ દિલ્હીના ભાગોમાં ટ્રાફિક પ્રભાવિત થવાની સંભાવના છે. પોલીસે આ માટે વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો છે અને મુખ્ય માર્ગો પર સંભવિત ભીડભાડવાળી જગ્યાઓના આધારે ડાયવર્ઝન સૂચવવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW