સુપ્રીમ કોર્ટે સોમવારે વારાણસીમાં કોર્ટના આદેશથી કરાયેલા સર્વેમાં મળેલા ‘શિવલિંગ’ની પૂજા કરવાની પરવાનગી માંગતી નવી અરજી પર સુનાવણી કરવા સંમત થયા હતા અને તેને 21 જુલાઈના રોજ આ બાબતની યાદી આપવા જણાવ્યું હતું.
અરજીમાં કાર્બન ડેટિંગની પણ વિનંતી છે
અરજીમાં શિવલિંગનો સમય ગાળો જાણવા માટે કાર્બન ડેટિંગ કરાવવાની પણ વિનંતી કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે એડ્વોકેટ વિષ્ણુ શંકર જૈન દ્વારા રજૂ કરાયેલી રજૂઆતોની નોંધ લીધી હતી અને અવલોકન કર્યું હતું કે ‘અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી’ની પેન્ડિંગ પિટિશન સાથેની અરજીની સુનાવણી 21 જુલાઈએ થવાની છે.

આ સમિતિ જ્ઞાનવાપી મસ્જિદ સંબંધિત બાબતોનું ધ્યાન રાખે છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બીજી બેંચ મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણી કરી રહી છે. આ અરજીમાં જ્ઞાનવાપી-શ્રૃંગાર ગૌરી સંકુલના સર્વેને પડકારવામાં આવ્યો છે.
અરજીમાં કહ્યું- આ પરિસરમાં ‘શિવલિંગ’ મળી આવ્યું છે
કહેવાય છે કે આ સંકુલમાં ‘શિવલિંગ’ મળી આવ્યું છે. એડવોકેટ જૈને કહ્યું કે, ‘આ અરજી પરિસરમાં મળેલા ‘શિવલિંગ’ના ‘દર્શન અને પૂજા’ની પરવાનગી માટે છે અને એએસઆઈને શિવલિંગની કાર્બન ડેટિંગ કરવા માટે નિર્દેશ આપવા માટે છે.’
તેમણે કહ્યું, ‘મસ્જિદ કમિટિ વતી કમિશનના સર્વેક્ષણને પડકારતી અરજી પર 21 જુલાઈએ સુનાવણી થવાની છે. મહેરબાની કરીને આની પણ યાદી બનાવો.’

