મોરબી : રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે ખેડૂતોની જણસને મુશ્કેલી ન પડે તે માટે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે તા. 07 જૂનને ગુરુવારથી તા. 09 જૂનને શનિવાર સુધી અનાજ વિભાગની આવક અને હરરાજી બંધ રહેશે તેમજ રવિવારે પણ રજા હોવાથી તા. 11 ને સોમવારથી રાબેતા મુજબ અનાજ વિભાગ અને હરરાજી ચાલુ કરવામાં આવશે જેની એજન્ટો, વેપારીઓ, ખેડૂતો તથા લાગતા વળગતા સર્વેને નોંધ લેવા મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઈન્ચાર્જ સેક્રેટરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

