HomeGujaratગુજરાતમાં ભાજાપથી મોટું સંગઠન બની જશે: કેજરીવાલ

ગુજરાતમાં ભાજાપથી મોટું સંગઠન બની જશે: કેજરીવાલ

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે.અમદાવાદના નરોડા ખાતે આમ આદમી પાર્ટી ગુજરાતના સંગઠનના 7500 જેટલા પદાધિકારીઓને શપથ લેવડાવ્યા હતા. સાથે જ તેમણે કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે, આગામી બે મહિનામાં જ ગુજરાતમાં ‘આપ’નું સંગઠન ભાજપના સંગઠનના કરતા મોટું થઈ જશે.

લોકોની પાર્ટી: અમારી પાસે પૈસા લઇને આવનારા કાર્યકર્તા નથી અમારા કાર્યકર્તા કોઈ પેઈડ કાર્યકરો નથી. બીજી પાર્ટી ગુંડાઓની પાર્ટી છે, આમ આદમી શરીફ લોકોની પાર્ટી છે. 57 ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ગયા છે. જે લોકો ભાજપથી નારાજ છે તેઓના દરેક વોટ આમ આદમી પાર્ટીને મળવા જોઈએ.’

સરકાર બનાવવાની છે: આપણે વિપક્ષમાં બેસવાનું નથી, પરંતુ સરકાર બનાવવાની છે.’ ગુજરાત ભાજપે દિલ્હીમાં કેજરીવાલ સરકારનું કામ જોવા મોકલેલા ડેલિગેશન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, એ લોકો પોલ ખોલવા માટે બે દિવસ ત્યાં ફર્યા હતા, પરંતુ કોઈ સ્કૂલ કે હોસ્પિટલમાં કંઈ મળ્યું ન હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું ગુજરાતમાં કોઈ કેમ્પેઈન નથી.

ભાજપ થી મોટું: ગુજરાતમાં કોંગ્રેસ શોધે પણ મળતી નથી અને આગામી સમયમાં અમારા કાર્યકર્તાઓ બુથ લેવલ સુધી પહોંચી જશે અને એક મહિનાની અંદર અમારા કાર્યકર્તાઓ ભાજપના સંગઠન કરતા પણ મોટું સંગઠન ઉભું કરી નાંખશે. તેમણે કહ્યું કે, ‘આપ’નું સંગઠન આજે કોંગ્રેસથી અનેકગણું મોટું સંગઠન બની ગયું છે. કોંગ્રેસ કાગળ પર છે. તેમણે કહ્યું કે, એક અઠવાડિયા બાદ દરેક બુથ પર 10-10 કાર્યકરનું સગંઠન બનશે. તેમણે દાવો કર્યો કે, બે મહિનામાં ‘આપ’નું સંગઠન ભાજપથી મોટું સંગઠન બની જશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW