માળિયા તાલુકાના બગસરા ગામમાં તાજેતરમાં વીજટ્રાન્સફોર્મર રીપેર કરવા ગયેલ વીજ કર્મચારીને ધાક ધમકી અને માર માર્યાની માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી આ ફરિયાદ બાદ આજે માળિયા ગામના ગ્રામજનો આજે માળિયા પોલીસ મથકે પહોચ્યા હતા. અને ગ્રામજનોએ માળિયા પોલીસ મથકના પીએસઆઈ બી ડી જાડેજાને રજૂઆત કરી હતી કે પીજીવીસીએલ કર્મચારીઓ દ્વારા તેમના ગામના 2 લોકો વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હોય અને આ બાબતે તપાસ કરી ફરિયાદ રદ કરવા માંગણી કરી હતી આં સાથે ગ્રામજનોએ તેમની ફરિયાદ વહેલી તકે ઉકેલ નહી આવે તો ઉચ્ચ ક્ક્ષાએ રજૂઆત કરવા તેમજ જરૂર પડ્યે આંદોલન કરવાની ચીમકી આપી હતી

