ઉદયપુરમાં દરજીની હત્યા મામલે રાજસ્થાન પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હત્યાના એક આરોપીની ગૌસના તાર પાકિસ્તાન સ્થિત ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે મળી આવ્યા છે.
પોલીસે કર્યો ઘટસ્ફોટ: રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશકએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ઉદયપુરમાં કનૈયાલાલ મર્ડરની ઘાતકી હત્યાની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે હત્યામાં સામેલ ગૌસની લીંક પાકિસ્તાન સાથે મળી છે. આ કેસમાં વધુ 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
કુલ 5 શખ્સો ઝડપાયા: એમએલ લાથેરે જણાવ્યું હતું કે હત્યામાં સામેલ એક આરોપી ગૌસ મોહમ્મદના કરાચી સ્થિત ઈસ્લામિક સંગઠન ‘દાવત-એ-ઈસ્લામી’ સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે. તે 2014માં કરાચી ગયો હતો. અત્યાર સુધીમાં અમે હત્યામાં સામેલ બે મુખ્ય આરોપીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

