મોરબી શહેરના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા અને ગોરપદુનો વ્યવસાય કરતા મહેશ જદુરામભાઈ શુક્લ નામના 40 વર્ષનો યુવાન રવિવારના રોજ પોતે ડેમ તરફ જાય છે તેની કોઈ શોધખોળ ન કરતા તેવી ચિઠ્ઠી લખી ઘરેથી નીકળી ગયા હતા દરમિયાન મચ્છુ નદી ખાતે આવેલ કેશવાનંદ આશ્રમ પાસેથી ડૂબેલી હાલતમાં મૃતેદેહ મળી આવ્યો હતો ઘટનાંની જાણ થતા મૃતકના પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે એડી નોધ કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકનું ગોરપદુ વ્યવસાય બરાબર ન ચાલતો હોવાથી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે જોકે સાચી હકીકત તપાસ બાદ જ સામે આવશે.

