ખ્યાતનામ લેખક અને ઈતિહાસકાર એસ ઈરફાન હબીબને આ વિશે નિવેદન આપ્યું કે મંદિરોને તોડીને મસ્જિદ બનાવવામાં આવી તે અંગેનો કોઈ ઈતિહાસ નથી. દરેક હુમલા વિશેની તમામ બાબતો ઈતિહાસમાં નોંધાયેલી છે. આજકાલ જે દાવા કરવામાં આવી રહ્યા છે તે મને જ પહેલીવાર જાણવા મળી રહ્યાં છે. આ બધી દરેકની દેખાદેખીમાં કરેલ મનઘડંત વાતો છે. જો ઈતિહાસ જાણઓ જ હોય તો એક વખત તમામ સ્ટ્રક્ચર તોડી દો. ધ્વસ્ત કરીને જોઈ લો. બધી જ હકીકત સામે આવી જશે. આટલી ખોટી ચર્ચાઓ કરવાની જરૂરત જ નથી.
એસ ઈરફાન હબીબ કહે છે કે તે સમયમાં જે થયુ, તે બધુ ઈતિહાસમાં નોંધાયેલુ છે પરંતુ આજે જે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પહેલીવાર લોકોને બતાવવામાં આવી રહ્યુ છે અને ઈતિહાસકારોએ કંઈ જણાવ્યુ નહીં, આ બધી ખોટી વાતો છે. આ બધી બાબત પહેલેથી જ ઈતિહાસમાં નોંધાયેલી હતી. વાત એ છે કે તમે ઈતિહાસમાં કેટલુ પાછળ જવા ઈચ્છો છો? તમે મધ્યકાલીન યુગમાં જ કેમ રોકાવ છો અને પાછળ કેમ જતા નથી?
આ બધુ તમે આજના મુસલમાનો પર કેમ થોપી રહ્યા છો. આ મુસલમાનોના હેરિટેજ નથી. આ આપણા દેશની ધરોહર છે. આ આપણા સૌ ની ધરોહર છે. જે સમયમાં આપ જઈ રહ્યા છો તે માત્ર હિંદુ-મુસ્લિમ નથી પરંતુ એ જમાનામાં રામચરિતમાનસ લખવામાં આવી જે તુલસીદાસે લખી. અકબરે દરબારી અબ્દુલ રહીમ ખાનખાના અને તુલસીદાસ એક-બીજા મિત્ર હતા. તુલસીદાસ પર બ્રાહ્મણોએ આરોપ લગાવ્યો કે તમે સંસ્કૃતમાંથી હિંદીમાં અનુવાદ કરી રહ્યા છો જ્યારે અકબરના દરબારીએ તુલસીદાસની આર્થિક મદદ પણ કરી. આ જમાનામાં મહાભારતનુ અનુવાદ ફારસીમાં થયુ પરંતુ આ બધુ તમને નથી દેખાતુ. સંસ્કૃતની ઉત્પત્તિ પણ આ જ જમાનામાં થઈ.

