.
દિલ્હી સરકારના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવનાર છે ત્યારે આગામી 12 મે ના રોજ રાજકોટ ખાતે ગુજરાતના ઉદ્યોગકારો ના પ્રાણ પ્રશ્નો જાણવા માટે ઉદ્યોગકારો સાથે મીટિંગ નું આયોજન ર્કયું છે. ત્યારે આ મિટિંગમાં મોરબીના ઉદ્યોગકારો ને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. મોરબી સીરામીક એસોસિએશન ના તમામ હોદેદારોને કેજરીવાલે આમંત્રણ આપ્યું છે.
મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગકારો ને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે જે ઉદ્યોગકારો કેજરીવાલ સાથે ગ્રુપ મિટિંગમાં જોડાવવા માંગતા હોય તે ઉદ્યોગકારનું નામ, ઉદ્યોગનું નામ મોકલી આપવું જેથી આપને તે મુજબનો સમય ફાળવી શકાય તે માટે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંત ગોરીયાએ જણાવ્યું છે.સીએમ અરવિંદ કેજરીવાલ સાથે ગ્રુપ બાય ગ્રુપ મીટિંગ કરવામાં આવશેતેમજ જે તે ઉધોગકારોના પ્રશ્નો ની ચર્ચા માટે પૂરતો સમય તેમ પણ જણાવ્યું હતું .


