મોરબીના બગથળા ગામ નજીક આવેલ સાઈના પોલીમર્સ નામના કારખાનાની ફેકટરીમાં રહી મજુરી કામ કરતા મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાણા વતની અનીલ મથુરભાઈ ભીલ નામના યુવકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.આ અંગેની જાણ તેની પત્નીને ન થતા બુમાબુમ કરી મુક્ત આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે મૃતક અનિલની પત્ની અસ્મીતાબેન ભીલના નિવેદન આધારે એડી દાખલ કરી હતી અને યુવાને ક્યા કારણસર આ પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરી હતી.બનાવની વધુ તપાસ એએસઆઈ એન જે ખડિયા ચલાવી રહ્યા છે.

