ટંકારા ગામની લક્ષ્મીનગર ગામમાં રહેતા જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણી નામના રેતી કપચીના વેપારીએ ગત તા 18 એપ્રિલના રોજ કલ્યાણપર ગામ પાસે આવેલ રાજ રાજેશ્વરી ઓઈલ મીલમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો અને તેમના પાસેથી એક સુસાઈડ નોટ મળી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓએ ટંકારામાં વ્યાજે રૂપિયા લઇ ધંધામાં રોક્યા હતા આ ઉપરાંત તેઓએ લજાઈ ગામના અશ્વિન બાબુ ભાઈ મસોત પાસેથી રૂપિયા લેવાના હોય પરંતુ અશ્વીનભાઈ રૂપિયા આપતા ન હતા બીજી તરફ જેની પાસેથી જગદીશભાઈએ અલગ અલગ વ્યક્તિ પાસેથી રૂપિયા લીધા હતા તેઓ ઉઘરાણી કરતા હોવાથી ચિંતામાં રહેતા અને તેનું લાગી આવતા પગલું ભર્યું હતું આ બાબતે મૃતકના પુત્ર કિશનભાઈ જીવાણીએ અશ્વિન બાબુભાઈ મસોત,દિલુભા કાણુંભા ઝાલા, બાબાલાલ બોરીચાં,વિક્રમ જેઠાભાઈ બોરીચા માંડાભાઈ બોરીચા,દિપકભાઇ રાણાભાઈ ભરવાડ,નવઘણ રાણાભાઈ ભરવાડ સંજય રાણા ભરવાડ,મુનાભાઈ તલાસવાળા તેમજ ભલાભાઈ ધારાભાઈ ભરવાડ સહિતના ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે ટંકારા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

