HomeGujaratરણબીર આલ્યાએ બાલ્કનીમાં લીધા ફેરા,આલિયાએ મૂકી આ પોસ્ટ

રણબીર આલ્યાએ બાલ્કનીમાં લીધા ફેરા,આલિયાએ મૂકી આ પોસ્ટ

રણબીર-આલિયાના લગ્નની ખુશી સોશિયલ મીડિયા પર એના ફેન્સ વ્યક્ત કરી રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે જીવનભર માટે એક થઈ ગયા છે. ગુરુવારે, કપલના લગ્ન મુંબઈના વાસ્તુ બંગલામાં સંબંધીઓ અને નજીકના મિત્રો વચ્ચે થયા હતા. ત્યારે આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના લગ્નની તસવીરો પોસ્ટ કરી છે. વ્હાઈટ વેડિંગ ડ્રેસમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. લગ્નમાં આખો કપૂર પરિવાર પહોંચ્યો હતો. તેમજ બોલીવુડ સેલેબ્સમાં ફક્ત પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અયાન મુખર્જી લગ્નમાં સામેલ થયા હતા.

આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના લગ્નની તસવીરો સેર કરતા કેપ્શનમાં લખ્યું કે, આજે, અમારા પરિવાર અને મિત્રોથી ઘેરાયેલા અમે, ઘરે અમારા મનપસંદ સ્થળ – બાલ્કનીમાં અમે અમારા સંબંધના છેલ્લા 5 વર્ષ વિતાવ્યા છે – અમે લગ્ન કર્યા, અમારી પાછળ પહેલેથી જ ઘણું બધું હોવા છતાં, અમે સાથે મળીને વધુ યાદો બાંધવા માટે રાહ જોઈ શકતા નથી … સ્મૃતિઓ જે પ્રેમ, હાસ્ય, આરામદાયક મૌન, મૂવી રાત્રિઓ, મૂર્ખ ઝઘડા, વાઇન આનંદ અને ચાઇનીઝ બાઇટ્સથી ભરેલી છે. અમારા જીવનના આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય દરમિયાન બધા પ્રેમ અને પ્રકાશ માટે આભાર. તેણે આ ક્ષણને વધુ ખાસ બનાવી છે. પ્રેમ, રણબીર અને આલિયા

આ લગ્નમાં રણબીરની બહેનો કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને રિદ્ધિમા કપૂરે તેમના લૂકમાં સુંદરતા ઉમેરી હતી. તેમજ રણબીર કપૂરની માતા નીતુ કપૂર તેના એકમાત્ર પુત્રના લગ્નમાં ખુશ ન હતી, પરંતુ લગ્નમાં ઋષિ કપૂરની ગેરહાજરી પરિવાર માટે ખૂબ જ દુઃખની વાત હતી, તેમ છતાં ઋષિ કપૂરનું મોટું ચિત્ર લગ્નના મંડપ પાસે ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જેથી ઋષિ કપૂર તે ચૂકી ન જાય. આ તસવીરની સામે બેઠેલા રણબીર કપૂરે આલિયા ભટ્ટને પત્ની તરીકે સ્વીકારી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,410SubscribersSubscribe

TRENDING NOW