મોરબી તાલુકાના વનાળિયા, ગોરખીજડિયા, શારદાનગર ગામ સહીતના રૂટ પર ચાલતી એસટી બસ હાલ અનિયમિત રીતે ચાલી રહી છે જેના કારણે હાલ બોર્ડની પરીક્ષાના સમયે મોરબી પરીક્ષા આપવા આવતા વિધાર્થીઓ, રોજિંદા રોજગાર માટે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ બસમા દરરોજ 60થી 70 વિધાર્થીઓ અપડાઉન કરતા હોવાથી તેઓ સમયસર શાળા કોલેજ તેમજ શાળા કોલેજથી ઘરે આવી શકતા નથી જેના કારણે તેઓને હાલાકી પડી રહી છે ત્યારે ગોર ખીજડિયા ગામના આગેવાનો અને ગ્રામ પંચાયત દ્વારા એસટી ડેપોને લેખિત રજુઆત કરી સમયસર બસ શરૂ કરવા માગણી કરી છે.

