મોરબીના મહેન્દ્રનગર ગામમાં ઉગમણા ઝાપા પાસે રહેતા સંજયભાઈ લાલજીભાઈ માનેવાડીયા નામના યુવાનને રાજાભાઈ રાયમલભાઈ કોળી સાથે સામું જોવા મુદે ઝઘડો થયો હતો જે બાદ સંજયને રાજાભાઇએ ગાળો આપી ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બાદ યુવકને ડર લાગતા ઘરમાં પોતાના પર કેરોસીન છાંટી આગ લગાવી લીધી હતી ઘટના બાદ યુવકને ગંભીર હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે બી ડીવીઝન પોલીસે સંજયભાઈની ફરિયાદ નોધી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

