મોરબી શહેરમાં ધરતી ટાવર પાસે આવેલ રમેશ કૂમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડિયાના માલિક મગનભાઈ ઉકાજીએ આંગડીયા પેઢીમાં કામ કામ કરતા એક જીતેન્દ્ર્રકુમાર કનૈયાલાલ પ્રજાપતિ નામનો કર્મચારી રૂ 43.20 લાખ જેટલી રકમની ઉચાપત કરી હોવાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ પ્રકરણમાં પોલીસ આરોપીની શોધ્ખોળ કરી રહી હતી તે દરમિયાન આરોપી સરદારરોડ ધરતી ટાવર પાસે હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડીવીઝન પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ અટકાયતી પગલા હાથ ધરી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

