હળવદ તાલુકના ચરાડવામાં આવેલ મહાકાળી મંદિરમાં ઉત્તરાયણ પર્વની મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરના તાળાં તોડી અંદર પ્રવેશી દાન પેટી તોડી નાખી હતી અને દાનમાં આવેલ રૂ.40થી 50 હજર જેટલી રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા.બીજા દિવસે સવારે મંદિરના પૂજારી સવારે પૂજા પાઠ માટે આવ્યા ત્યારે મંદિરમાં ચોરી થયાની ખબર પડતાં તેઓએ અન્ય લોકોને જાણ કરી હતી જે બાદ વનરાજભાઈ પઢીયારે હળવદ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.ચોરીની ઘટના અંગે હળવદ પોલીસ મથકના પીએસઆઈ ટાપરિયા અને સ્ટાફે અલગ અલગ મંદિર અને આસપાસ વિસ્તારમાં દિશામાં તપાસ હાથ ધરી છે

