સરકાર દ્વારા પહેલા હાયર સેકન્ડરી,સ્કૂલો તેમજ કોલેજોમાં શિષ્યવૃતિ આપવામાં આવતી હતી.પરંતુ હાલ સરકાર દ્વારા આ શિષ્યવૃતિ સરકારી સ્કૂલો કોલેજ,ગ્રાન્ટ મેળવતી સ્કુલ કોલેજોમાં જ O.B.C. હેઠળ તેમજ અન્ય જ્ઞાતિઓના બધા જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આપવામાં આવે છે. જયારે સ્વનિર્ભર સ્કુલ કોલેજોમાં જે લોકો સરકારના નિયમ મુજબ એડમીશન મેળવે છે. ત્યારે ફક્ત વિદ્યાર્થીનીઓને જ આ શિષ્યવૃતિ આપવામાં આવે છે. પરંતુ કુમાર વિધ્યાર્થીઓને આ લાભ આપવામાં આવતો નથી. જેથી ઓબીસીઅને અન્ય ગરીબ વર્ગના પરિવારના બાળકોને શિક્ષણમાં મુશ્કેલી પડી રહી છે આ કારણોસર પહેલા જેમ બધાને આ લાભ આપવામાં આવતો હતો. તેવી જ રીતે હવે થી બધાને આ લાભ મળે તે માટે અગાઉની જેમ ઓબીસી અને અન્ય કુમાર છાત્રની પોસ્ટ મેંટ્રિક શિસ્યવૃત્તિ શરૂ કરવામાં આવે તેવી માંગ મોરબીના સામાજિક અગ્રણી અને ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સના જનરલ સેક્રેટરી કે ડી બાવરવાએ રાજય સરકારને પત્ર લખી માગણી કરી હતી.

