સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળતી હોય તેવા દૃશ્યો સર્જાઈ રહ્યા છે.નાની બાબતોમાં મારમારી જીવલેણ હુમલા અને હત્યા કરી દેવાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટફાટના બનાવોમાં વધારો થયો છે. જિલ્લામાં પોલીસની નિષ્ક્રિયતાની ફરિયાદો ઉઠી રહી છે.

ત્યારે વઢવાણમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે જેમાં ચોટીલા થાન રોડ પર આવેલી બેસ્ટ આંગડિયા પેઢી નામ માલિક ગિરીશભાઈ પૂજારાને પિસ્તોલની અણીએ રૂ 79 લાખ જેટલી રકમ લૂંટી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા સુરત જિલ્લા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આંગડિયા પેઢીના માલિક ની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી બીજી તરફ અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી કરી આરોપીઓ સુધી પહોંચવા તજવીજ હાથ ધરી હતી ફરિયાદી ગિરીશ ભાઈએ નોંધાવેલ ફરિયાદ મુજબ લાલ કલર અને જૂનું સ્પેલેન્ડર બાઇકમાં 4 શખસ આવી ચઢ્યા હતા અને રેકી કરી હતી બાદમાં લમણે પિસ્તોલ રાખી હતી માત્ર 2 જ મિનિટમાં રૂ.79 લાખ લૂંટી લીધો હતો
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ચૂકી છે કે છેલ્લા 21દિવસમાં ગ્રુપના ત્રણ બનાવો સામે આવ્યા હતા જ્યારે 4 હત્યાનો બનાવ બન્યા હતા

