પુરુષોત્તમ માસ નિમિત્તે બાળકોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ થાય તે હેતુથી ઇસ્કોન કઠવાડા દ્વારા ખાસ ઓનલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો પ્રારંભ આવતી 17 મે 2026, રવિવારથી થવાનો છે. ખાસ વાત એ છે કે મોરબી સહિત રાજ્યભરના બાળકો આ કેમ્પમાં સંપૂર્ણ નિઃશુલ્ક જોડાઈ શકશે તેમજ વિવિધ ઇનામો જીતવાની તક પણ મળશે.
આ ઓનલાઈન કેમ્પમાં બાળકોને ભગવદ ગીતા, ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાદાયક વાર્તાઓ, મહાભારતના પ્રસંગો, શ્લોક કંઠસ્થ કરવાની સરળ પદ્ધતિઓ તેમજ અનેક આનંદદાયક અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ 5 થી 17 વર્ષ સુધીના બાળકો આ કેમ્પમાં ભાગ લઈ શકશે.
મોરબીના અતુલ વિષ્ણુ દાસે જણાવ્યું હતું કે, આ કેમ્પ દ્વારા બાળકોમાં સકારાત્મક વિચારસરણીનો વિકાસ થશે. સાથે જ સહનશીલતા, આત્મવિશ્વાસ, ધૈર્ય, પ્રેમભાવ અને ગીતા જ્ઞાનમાં વધારો થશે, જે બાળકના મનોબળને વધુ મજબૂત બનાવશે. તેમણે મોરબીના વાલીઓને પોતાના બાળકોને આ કેમ્પ સાથે જોડવા અપીલ કરી છે.
કેમ્પમાં જોડાવા માટે વોટ્સએપ ગ્રુપ લિંક જાહેર કરવામાં આવી છે.
https://chat.whatsapp.com/CFrFMSvwVVR5URtCXpJfGk?mode=gi_t
વધુ માહિતી માટે સંપર્ક કરો
હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – મોરબી
અતુલ વિષ્ણુ દાસ : 7016707756

