ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આજે એક નવો ઈતિહાસ રચાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધુનિક ભારતની ઈજનેરી કળાના અદભૂત નમૂના સમાન ‘ગંગા એક્સપ્રેસવે’નું ભવ્ય લોકાર્પણ કર્યું છે. માત્ર 3.5 વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર થયેલો આ સુપર હાઈવે પૂર્વી ઉત્તર પ્રદેશ માટે માત્ર માર્ગ નથી, પરંતુ પ્રગતિની એક નવી ‘આર્થિક જીવનરેખા’ બનીને ઉભર્યો છે.
આ એક્સપ્રેસવે મેરઠ અને પ્રયાગરાજ વચ્ચેના અંતરને આભાસી રીતે ઘટાડી દેશે. 11 કલાકની લાંબી મુસાફરી હવે માત્ર 6 કલાકમાં પૂર્ણ થશે. પશ્ચિમ ઉત્તર પ્રદેશની ઔદ્યોગિક સમૃદ્ધિ અને પૂર્વની અપાર ક્ષમતાને આ હાઈવે એક તાંતણે બાંધશે.
-
અદાણી એન્ટરપ્રાઇઝિસ (ARTL)નું યોગદાન
અદાણી એન્ટરપ્રાઇઝિસ (ARTL) એ આ પ્રોજેક્ટમાં80% (464 કિમી) હિસ્સાનું નિર્માણ કરીને ખાનગી ક્ષેત્રની મજબૂત ક્ષમતાનો પરિચય આપ્યો છે. 12,000 થી વધુ કર્મયોગીઓની મહેનતનું પરિણામ આજે વિકાસના આ મજબૂત માર્ગ પર દેખાઈ રહ્યું છે.
- AI સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાનો સમન્વય
ગંગા એક્સપ્રેસવે ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ દેશનો સૌથી અત્યાધુનિક કોરિડોર છે સમગ્ર માર્ગ પર AI-સક્ષમ કેમેરા તૈનાત છે, જે અકસ્માત કે કટોકટીના સમયે ત્વરિત એલર્ટ આપી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. શાહજહાંપુર પાસે 3.5 કિમીની એરસ્ટ્રીપ બનાવવામાં આવી છે, જ્યાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ કટોકટીના સમયે લેન્ડિંગ કરી શકશે, જે દેશની વ્યૂહાત્મક સુરક્ષામાં વધારો કરશે. આ એક્સપ્રેસવે માત્ર વાહનો દોડાવવા માટે નથી, પણ યુપીના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે છે:રોજગાર: આગામી 10 વર્ષમાં 3 લાખથી વધુ નવી નોકરીઓનું સર્જન થવાનો અંદાજ.GDP ગ્રોથ: રાજ્યના જીડીપીમાં રૂ. 1 લાખ કરોડનો વધારો થવાની અપેક્ષા.
લોજિસ્ટિક્સ બચત: પરિવહન ખર્ચમાં વાર્ષિક રૂ. 25,000 થી 30,000 કરોડની જંગી બચત થશે.
ઔદ્યોગિક અને આધ્યાત્મિક સેતુ
આ હાઈવે 12 જિલ્લાના 519 ગામડાઓને મુખ્યપ્રવાહમાં લાવશે. અહીં વિકસિત થનારા 11 ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર ઉદ્યોગોને વેગ આપશે. બીજી તરફ, શ્રદ્ધાળુઓ માટે પ્રયાગરાજ અને વારાણસી જેવા પવિત્ર ધામો સુધી પહોંચવું સરળ બનતા ‘સ્પિરિચ્યુઅલ ટુરિઝમ’ (આધ્યાત્મિક પ્રવાસન) ને નવો વેગ મળશે

