મોરબીના શનાળા ગામના મહંત રાહુલગીરી ગૌસ્વામી અને તેના પત્ની આજે તેની કાર લઇ ને જતા હતા ત્યારે સાયલા નજીક તેમની કાર આગળ જતા એક ટ્રક સાથે ધડકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં રાહુલ ગીરી અને તેમના પત્ની વૈશાલીબેનને ઈજા પહોચતા સારવાર અર્થે નજીક ની હોસ્પીટલમાં 108ની મદદથી ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો જે બાદ પોલીસ સ્થળ પર પહોચી સ્થિતિ કાબુમાં લીધી હતી અકસ્માત ક્યા કારણોસર તે અંગે હજુ માહિતી સામે આવી શકી નથી હાલ આ અંગે સાયલા પોલીસ અકસ્માત મોત અંગે તપાસ ચલાવી રહી છે.

