માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામમાં રહેતા મનુભાઈ દેવજીભાઈ કુંવરિયાની પુત્રી પુજાબેન ગત તા 26 ના રોજ બપોરના સમયે તળાવ કાંઠે કપડા ધોવા ગઈ હતી અને આ દરમિયાન તે તળાવમાં ન્હાવા ઉતરી હતી આ દરમિયાન અકસ્માતે પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરકાવ થતા તે ડૂબવા લાગી હતી અને તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા મૃતકને તળાવમાંથી બહાર કાઢી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પીટલ ખસેડાયો હતો. બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે અકસ્માત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી છે.
બીજી એક ઘટનામાં મધ્ય પ્રદેશના દતિયા જિલ્લાના વતની દયારામ ઉર્ફે સોનું અતીરામ ગોટ નામના આધેડ ગત તા 1 ના રોજ બપોર ના સમયે હળવદના હરી દર્શન સોસાયટી નજીક થી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ભરતી વખતે અચાનક કોઈ કારણસર ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે હળવદ પોલીસે અક્સમાત મોત અંગે નોધ કરી તપાસ હાથ ધરી હતી.

