મોરબીમાં 24 માર્ચે વર્લ્ડ ટીબી ડેની ઉજવણીના અવસરે જનરલ હોસ્પિટલ ખાતે એન.એલ. આમોદ્રા નર્સિંગ કોલેજ, ચરાડવાના વિદ્યાર્થીઓ દ્વારા ક્ષયરોગ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વભરમાં દર વર્ષે ઉજવાતા આ દિવસને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ટીબી વિષયક જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મેરા યુવા ભારત (MY Bharat)ના વોલન્ટિયર્સ પણ જોડાયા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ટીબી વિશે જાગૃતિ ફેલાવવાનો, તેના લક્ષણો ઓળખવા, નિવારક પગલાં લેવા અને સમયસર યોગ્ય સારવાર મેળવવા અંગે માહિતી પહોંચાડવાનો રહ્યો હતો.

