મોરબીના લીલાપર નજીક પ્રકાશનગરમાં રહેતા એક યુવાને રૂ 65 હજાર વ્યાજે પેટે લીધા હતા જેના બદલામાં 50 હજાર જેટલું વ્યાજ ચુકવવા છતાં આરોપી પિતા પુત્ર એ વધુ રકમની માગ કરી ધમકી આપતા યુવાને બી ડીવીઝન પોલીસ મથકમાં પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી
મોરબીના લીલાપર નજીક આવેલા પ્રકાશનગરમાં રહેતા હરેશભાઇ માવજીભાઇ જાદવ નામની વ્યક્તિએ મહેશભાઇ ધનજીભાઇ જાદવઅને તેના પિતા ઘનજીભાઇ દેવજીભાઇ જાદવ પાસેથી ૨૦૨૨ના ફેબ્રુઆરી તથા સને-૨૦૨૩ના માર્ચ મહીનામાં રૂપીયા ૬૫,૦૦૦/-, ૫ % લેખે વ્યાજે લીધેલ હોય જેનું ૫૦,૦૦૦/- વ્યાજ ચુકવેલ હોય તેમ છતા આ કામના આરોપીઓએ ફરીને અવાર નવાર રૂબરૂ તથા ફોન ઉપર વ્યાજ તથા મુદ્દલ રકમ ભરવા ધમકીઓ આપતા બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ .એન.એસ કલમ-૩૫૧(૨), ૩૫૧(૪), ૫૪ તથા ગુજરાત નાણા ઘીરધાર કરનારા બાબત અધિનીયમ-કલમ-૪૦, ૪૨ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

