મોરબી તાલુકાના જુના સાદુંળકા ગામમાં આવેલા શકિત માતા મંદિરમાં ગત તા 04 ફેબ્રુઆરીના રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરમાં માતાજીની મૂર્તિ ઉપર રાખેલ રૂ 48 હજારની કિમતના ચાંદીની છતરની તેમજ દાન પેટીમાં રાખેલા 2 હજાર રોકડા સહીત રૂ 50 હજારનો મુદ્દામાલ ચોરી કરી લઇ ગયા હતા એક મહિના સુધી ગ્રામજનોએ આરોપીઓની શોધખોળ કરી હતી જે તે વખતે ફરિયાદ નોધાઇ ન હતી જોકે તપાસ બાદ કોઈ પત્તો ન લાગતા અંતે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે બનાવ અંગે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

