આજના સમયમાં સગીર બાળકો વાહનો લઈને નીકળી જતા હોય અને આ સગીર વાહન ચાલક અક્સમાત કરતા હોય છે જેમાં નિર્દોષ વાહન ચાલકોને ક્યારેક ઈજા થતી હોય છે તો કેટલીક ઘટનામાં મોત થતા હોય છે આવી એક ઘટના હળવદમાં બની હતી જેમાં સુસવાવ ગામથી કેદારનાથ મહાદેવ તરફ જતા રોડ ઉપર જાબુડા વાળા વોકળા પાસે –GJ-36-AM-3955 નંબરના બાઈક લઈને એક સગીર પુરઝડપે ચલાવી ચુનીભાઈ નામના 45 વર્ષીય યુવાનને ઠોકર મારી હતી આ ઘટનામાં ચુની ભાઈ નું મોત થયું હતું
આ બનાવ સમયે સગીર સામે ફરિયાદ નોધાઇ હતી પોલીસે આ બનાવમાં બાઈકના માલિક અને સગીરના કાકા સંજયભાઇ રુપાભાઇ પંચાસરા સામે એમ.વી.એકટ ક.199 (એ) મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

